રાજસ્થાનમાંથી ધરપકડ કરનાર જામનગરના AAPના ઉમેદવારને કોર્ટે જામીન વગર જ મુક્ત કર્યા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: ૭૯ દક્ષિણ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીની ગુજરાત ATS દ્વારા રાજસ્થાનમાંથી તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને જામનગર SOG પોલીસે અમદાવાદ પોલીસ પાસેથી વિશાલ ત્યાગીનો કબજો મેળવ્યો હતો. જામનગર એ ડિવિઝનને વિશાલ ત્યાગીનો કબજો સોંપવામાં આવ્યો હતો. બાદમાં જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વિશાલ ત્યાગીનો કોરોના ટેસ્ટ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં જજે ઉમેદવાર વિશાલ ત્યાગીનો નિર્દોષ છુટકારો કર્યો છે. વકીલની દલીલોને ધ્યાન રાખી સેશન કોર્ટના જજે કોઈપણ જાતના જામીન વિના ઉમેદવાર વિશાલ ત્યાગીનો છુટકારો કર્યો છે, ત્યારે મીડિયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીએ જણાવ્યું કે, પોલીસ પર ઉપરથી પ્રેશર હતું. જેના કારણે ખુદ ATS મારી ધરપકડ કરવા આવી હતી. જોકે બાદમાં સત્યનો જય થયો છે અને કોર્ટે કોઈ પણ જાતના જામીન વિના મુક્ત કર્યા છે.