News of Wednesday, 7th April 2021
ભચાઉના શિકારપુર ગામે નદીના પાણીમાં ન્હાવા પડેલ ત્રણ બાળકો ડૂબી જતા મોત
રેતીચોરી માટે ગેરકાયદે ખોદાયેલા ખાડામાં ભરેલ પાણીના કારણે સર્જાઇ દુર્ઘટના
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૭ : ભચાઉના શિકારપુર ગામે પાણીમાં ન્હાવા પડેલ ત્રણ બાળકોના મોતના કરૂણ બનાવે અરેરાટી સર્જી છે. ૧૩ અને ૧૪ વર્ષના આ ત્રણેય બાળકો પ્રકાશ લખમણ ગોહિલ, મુકેશ પ્રેમજી મ્યાત્રા અને કમલેશ લાધા વાઘેલા ગઇકાલે બપોરે ગરમી વચ્ચે ગામની નદીના પટમાં ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ન્હાવા પડ્યા હતા. રેતી ચોરી માટે કરેલા ખાડાઓમાં પાણી હોઈ બાળકો તેમાં ન્હાવા પડયા હતા પણ આ ખાડા તેમના માટે મોતની આફત સમાન બન્યા હતા.
એક સાથે ત્રણ ત્રણ બાળકોના મોતથી નાનકડું શિકારપુર ગામ શોકમાં ડૂબી ગયું છે. તો, સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે.
(11:00 am IST)