સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

પોરબંદર જિલ્લામાં કોરાનાથી ૧ મૃત્યુઃ ૩૪ નવા પોઝીટીવ કેસઃ ૩૬ દર્દીઓ સાજા થયા

(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ : જીલ્લામાં ર૪ કલાકમાં કોરાનાથી ૧ દર્દીનું મોત નીપજયું હતું અને કોરાના પોઝીટીવના વધુ ૩૪ કેસ આવ્યા હતા.

ગઇકાલે પર૪ વ્યકિતઓના કોરાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૩૪ વ્યકિતઓના કોરાના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતા.આ પોઝીટીવ કેસ છાંયા પ્લોટ, કડિયા પ્લોટ, ઝુરીબાગ, કુછડી વગેરે વિસ્તારોમાંથી આવ્યા છે.અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૬૭૯ કોરાના પોઝીટીવ કેસ નોંધાયા હતા એક દર્દીનું કોરાનાની સારવારમાંં મૃત્યુ થયેલ છે.

કોરાનાની સારવારમાં ૩૬ દર્દીઓ સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં જીલ્લામાં સાજા થયેલ દર્દીઓની કુલ સંખ્યા ૧૪પ૯ પહોંચી છે. સિવીલ  હોસ્પિ.માં હાલ પ૯ નવા દર્દીઓ કોરાનાની સારવારમાં છે.

(1:02 pm IST)