સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th May 2022

મોરબી : પ્રેમિકા સાથે બે દિવસથી વાત ના થઇ : યુવાનને લાગી આવતા મોતને મીઠું કર્યું

સિલ્વરપાર્ક સોસાયટીમાં પોતાના ઘરે જ જીગ્નેશભાઈ નિલેશભાઈ કુકવા નામના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે. જ્યાં વધુ એક યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાનું સામે આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુટુ રોડ પર આવેલી સિલ્વરપાર્ક સોસાયટીમાં પોતાના ઘરે જ જીગ્નેશભાઈ નિલેશભાઈ કુકવા નામના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.તો ધટનાની જાણ થતા જ પરિવારજનોમાં અને તાલુકા પોલીસની ટીમ દોડી આવીને મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો તો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો તપાસ અધિકારી જે જે ડાંગર પાસેથી માહિતી મળી હતી કે પ્રેમિકા એ બે દિવસથી વાત ન કરી હોય જેનાથી માઠું લાગી જતા પરિવાર કામે ગયેલ હોય દરમિયાન યુવાને જીવન ટુંકાવ્યું હતું તેમજ પરિવારના ત્રણ ભાઈઓ છે અને મૃતક યુવાન એ સૌથી મોટો હોવાનું જાણવા મળ્યું હતું.

(1:09 am IST)