સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th May 2022

મોરબી : સામાજિક સંસ્થા અને સામાજિક કાર્યકર દ્વારા બિનવારસી વૃદ્ધના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ

મોરબીમાં બિનવારસી વૃદ્ધના મૃતદેહ મળી આવ્યો હોય જેના કોઈ વારસદાર ન મળતા પંચમુખી ટ્રસ્ટ અને મહિલા સામાજિક કાર્યકર દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવી હતી

મોરબીમાં તા.૩૦-૪-૨૦૨૨ના રોજ તાલુકા મથકમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હોય અને વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવતા મળી આવ્યા ન હતા તેમજ ૫ દિવસ બાદ હિન્દૂ વિધિથી બિનવારસી બોડીને તા.૫ના રોજ સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા અંતિમક્રિયા કરવામાં આવી હતી. આમ મોરબીમાં વૃદ્ધના બિનવારસી મૃતદેહને અગ્નિદાહ અપાયો હતો.

(1:13 am IST)