જામનગરમાંથી પરિણીતા લાપતા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૭ : દિનેશભાઇ આલાભાઇ સાગઠીયા જાતે અનુ.જાતિ (ઉવ.૪૫) ધંધો-મજુરી રહે. ખેતીવાડી વુલરમીલ પરમાર લતો ઉજીબેનના મકાનમાં ભાડેથી જામનગર વાળાએ જાહેર કરેલ કે તેના પત્ની સીમાબેન દિનેશભાઇ આલાભાઇ સાગઠીયા (ઉવ.૪૫) તા. ૩ના સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના બહેનના ઘરે જાવ છું તેમ જણાવી જતી રહેલ જેની તપાસ કરતા મળી ન આવતા ગુમ થયાની ફરિયાદ કરી છે. ગુમ થનાર એ શરીરે મહેંદી કલરની કુર્તી તથા સફદે કલરની લેગીસ પહેરેલ છે. તેમજ વાને ઘઉં વર્ણ, તથા ઇંચાઇ ૫*૧ છે તથા તેઓ ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. તેમજ ગુજરાત , હિન્દી, અંગ્રેજી ભાષા લખતા તથા વાંચતા આવડે છે. ઉપરોકત વર્ણનવાળાસ્ત્રી મળી આવ્યેથી અત્રેના સીટી સી ડીવી.પો.સ્ટે.ફોન નં. ૦૨૮૮ ૨૫૫૦૮૦૫ તથા ત.ક.અમલદાર આર.એમ.ડુવા મો. નં. ૯૫૧૦૩ ૫૧૭૫૧ ઉપર જાણ કરવા જણાવ્યુ છે.