ખંભાળીયામાં જય વસાવડા દ્વારા સવામણના સુખના વિષય ઉપર મોટીવેશન સ્પીચથી શહેરીજનો પ્રભાવિત
ખંભાળિયાઃ ચાર રસ્તા નજીક ખાનગી હોટલના હોલમાં મોટીવેશન વક્તા જય વસાવડાની સ્પીચ કાર્યક્રમનો મહિલા મંડળના ચંદા મોદી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના સ્પોન્સર વીંગ્સ હોસ્પિટલના સંજય દેસાઈ સહિતના ડોક્ટરો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. વક્તા જય વસાવડા દ્વારા બે કલાકની ધારદાર સ્પીચ આપી હતી. જેમાં ખંભાળીયાના ડોક્ટરો, પત્રકારો, પ્રબુદ્ધ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમ બાદ હાજર રહેલ નાગરિકો સાથે જય વસાવડા દ્વારા જુદા જુદા વિષય ઉપર પ્રશ્નો જવાબની આપ-લે કરી હતી. મોડી રાત સુધી ચાલેલ કાર્યક્રમમાં સ્થાનિક શ્રોતાઓની હાજરી અને લાગણીમાં જય વસાવડા ભાવ વિભોર થયા હતા. આ કાર્યક્રમ બાદ પત્રકાર પરબત ગઢવી, કૌશલ સવજાણી, સહિતના લોકો સાથે હાઇવે પરની હોટલમાં ચા-નાસ્તાની કાઠિયાવાડી મહેમાન ગતિ માણી હતી. આ પ્રોગ્રામથી શહેરના હાજર રહેલ લોકો પ્રભાવિત થયા હતા.