News of Thursday, 7th July 2022
વરસાદની આગાહીને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ રવિવાર સુધી બંધ રહેશે
તા 11 જુલાઈને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરુ થશે.
મોરબી : રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈને મોરબીનું માર્કેટિંગ યાર્ડ તા. ૦૭ થી ૦૯ સુધી બંધ રહેશે અને રવિવારે પણ રજા હોવાથી સોમવારથી રાબેતા મુજબ કામ શરુ કરાશે
મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર હાલમાં વધુ વરસાદની આગાહી હોવાના કારણે તા.7 થી 09 જુલાઈ સુધી અનાજ વિભાગની આવક તથા હરરાજીનુ કામકાજ બંધ રાખવામાં આવે છે. તા.7 જુલાઈના રોજ હરાજી લેવામાં આવશે અને તા 11 જુલાઈને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરુ થશે. જેની સર્વે એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતભાઇઓને નોંધ લેવાનું જણાવવામાં આવ્યું છે.
(11:01 pm IST)