સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

મોરબી નગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસમાંથી ધાર્મિક દબાણ હટાવ્યું.

આવાસ યોજનામાંથી 3 મંદિર અને 1 મદરેસાનું દબાણ હટાવી જગ્યાને ખુલ્લી કરાવી

મોરબી નગરપાલિકાએ ડીમોલેશન હાથ ધરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી 3 મંદિર અને 1 મદરેસાનું દબાણ હટાવી જગ્યાને ખુલ્લી કરાવી છે.
મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે મંદિરો અને મદરેસા આવેલા હોય, નગરપાલિકાના ચીફ ઓફિસર અને દબાણ હટાવ શાખાના હિતેશભાઈ રવેસિયા દ્વારા પોલીસને સાથે રાખીને ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 મંદિર અને 1 મદરેસા હટાવીને જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી.

(9:56 am IST)