સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:સુત્રાપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો :ગ્રામ્યમાં ખેતરોમાં પાણી ભરાયા

આગામી 48 કલાકામાં ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા ફરી આગમન કરે તેવી શક્યતા.

ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યાં બાદ વિરામ લીધો છે. સવારથી જ મોટાભાગા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. સુત્રાપાડમાં સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, તો ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આગાહી મુજબ આવનાર 48 કલાકામાં ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા ફરી આગમન કરે તેવી શક્યતા છે.

(12:29 am IST)