મોરબીમાં પીપળી રોડ ઉપર નવા બંધાય રહેલા બિલ્ડીંગમાં બાંધકામ કરતી વખતે ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મોત
છેલ્લા 6 દિવસમાં બીજા શ્રમિકનું મોત થયાની ઘટના સામે આવી
મોરબીમાં પીપળી રોડ ઉપર નવા બંધાય રહેલા બિલ્ડીંગમાં બાંધકામ કરતી વખતે ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મોત થયું છે. આ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મહેન્દ્રનગર ચોકડીથી આગળ પીપળી રોડ નવા બનતા બિલ્ડીંગમાં બાંધકામ કરતી વખતે અર્જુનભાઈ છનાભાઈ કોળી અચાનક ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. જેને પગલે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેનું મોત થઈ હતું.આ ઘટનાની જાણ મોરબી સીટી બી ડિવીઝન પોલીસને થતા પોલીસ કાયફો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નોંધનીય છે કે, 6 દિવસમાં બીજા શ્રમિકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ પૂર્વે 30 જૂનના રોજ બાલાજી ઓટોપેક કારખાનાના લેબર ક્વાટરમાં નિંદ્રાધીન અવસ્થામાં શ્રમિક નીચે પડી જતા તેનું મોત થયું હતું.