સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ભુજમાં પ્રખ્‍યાત જૈન દેરાસર દાદાવાડીના તાળા તોડી દાનપેટીમાંથી ચોરી

ભુજ,તા.૭: ભુજના પ્રખ્‍યાત જૈન દેરાસર દાદાવાડી માં તાળા તોડી ચોરી થવાના બનાવે શહેરમાં ચકચાર સર્જી છે. ડોસાભાઈ જૈન ધર્મશાળા પાસે આવેલ સંભવનાથ અને આદિશ્વર ભગવાનનું દેરાસર દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. અહીં અજાણ્‍યા તસ્‍કરે ચોરી કરેલ ચોરી તેમ જ અન્‍ય દેરાસર ના તાળા તોડવાનો પ્રયાસ સીસી ટીવી કેમેરામાં કેદ થયો છે. દાનપેટી માં રૂ. ૫ હજારની રકમ હતી. જોકે, મુખ્‍ય દેરાસરના તાળા તોડી ન શકતા મોટી રકમની ચોરી અટકી ગઇ હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(10:48 am IST)