સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ઉનાઃ જાફરાબાદની એસ.ટી બસ શરૂ કરવા પ્રશ્‍ને ચેમ્‍બરની સફળ રજૂઆત

ઉના, તા.૭: ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સની રજુઆત ફળી છે અને વધુ એક એસ.ટી.બસ જુનાગઢ જાફરાબાદ શરૂ કરાઇ.

ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોર્મસના પ્રમુખ મુકેશભાઇ ગાંધી તથા વેપારી અનિલભાઇ વિઠલાણીએ ગીરગઢડા આવવા જવા લાંબા અંતરની એસ.ટી.બસ સેવા શરૂ કરવા રજુઆત કરી હતી. તેને વધુ એક સફળતા મળી છે. જુનાગઢ - જાફરાબાદ ગુર્જરનગરી એસ.ટી.બસ શરૂ કરાઇ છે જે જુનાગઢથી સવારે ૬.૪૫ કલાકે ઉપડી વાયા મેંદરડા, સાસણ, તલાલા, જામવાળા, ગીરગઢડા, ઉના થઇ જાફરાબાદ પહોંચશે. ગીરગઢડા ૧૦.૨૦ કલાકે પહોંચશે. તેથી જાફરાબાદ જવા પણ અનુકુળતા મળશે. આ બસ વળતા જાફરાબાદ ઉના-કોડીનાર, વેરાવળ થઇ જુનાગઢ પહોંચશે. આ બસ શરૂ થતા લોકોમાં આનંદ છવાયો છે.

(11:14 am IST)