સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ચીરોડા (ભા)નાં યુવાને મોસાળ મોકાસર મા ઝેરી દવા પી આપઘાત કર્યો

કેટલાક લોકો સાથે ઝઘડા બાદ પગલું ભર્યાની પરિવારે જતાવી શંકા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૭: ચોટીલાનાં ચીરોડા(ભા) ના ૨૩ વર્ષ ના યુવાને મોકાસર વાડી વિસ્‍તારમાં ઝેરી દવા પી લઇ આત્‍મઘાત કરતા ચકચાર મચી જવા પામી છે

પ્રાપ્ત વિગત મુજબ ચીરોડા ભાદરનો રહીશ સંજય ભુપત ખોરાણી એ તેના મોસાળમાં વાડી એ જંતુનાશક દવા પી લેતા તેનું મરણ નિપજતા પોલીસે લાશનું પીએમ કરાવી એડી ગૂનો દાખલ કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

મળતકના પરિવારજનોની પ્રાથમિક પુછપરછમાં મરનારના આત્‍મઘાતી પગલા પહેલા નજીકનાં ગામના કેટલાક યુવાનો સાથેસ્ત્રી પાત્ર ને કારણે માથાકુટ અને ઝઘડો થયેલ હતો અને બાદમાં યુવાન મામા ની વાડી એ જતો રહેલ અને ત્‍યાં રાતે તેને ઝેરી દવા પી આત્‍મઘાત કરતા તેનું મરણ નિપજ્‍યું હતું

ચોટીલા હોસ્‍પિટલ ખાતે મળતકના સગા સંબંધી ઓ મોટી સંખ્‍યામાં દોડી આવ્‍યા હતા અને મરનારે ઝઘડાને કારણે જ આ પગલું ભરેલ હોવાની શંકા દર્શાવતા સમગ્ર મામલે એ એસ આઇ એમ. એન. રાજપરા એ તપાસનાં ચક્રો ગતિમાન કરેલ છે. સ્‍થાનિક સૂત્રો નાં જણાવ્‍યા મુજબ  મોકાસર ગામમાં જ આત્‍મઘાત નાં મુળ રહેલા છે અને સમગ્ર ઝઘડાના બીજ પણ સ્‍થાનિક છે ત્‍યારે ભેદભરમ સર્જતા આત્‍મઘાતી મરણ પામનાર યુવાનનાં પગલા પાછળ કોઇ જવાબદાર છે? કયાં કરાણોસર માથાકુટ થયેલ આવા અનેક રહસ્‍યો તપાસ દરમિયાન ઉકેલાશે ખરા તે જોવાનું રહે છે. હાલ મોકાસર અને આસપાસના પંથકમાં યુવકના મોતને લઇ ને અનેક ચર્ચાઓ એ જોર પકડયું છે.(તસવીરઃ હેમલ શાહ)

(12:57 pm IST)