સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

કચ્‍છના મુન્‍દ્રામાંથી લોરેન્‍સ બિશ્‍નોઇ ગેંગના બે શાર્પશુટરની ધરપકડ થતા પોલીસ હવે પરપ્રાંતિય ભાડુઆતો અને મકાન માલિકોના નામ-સરનામા વેરીફાઇ કરશે

કચ્‍છમાં વિવિધ પોલીસ મથકોમાં 370 મકાનમાલિકોને ભાડુઆતોની નોંધણી કરાવીઃ 32 કિસ્‍સામાં નોંધ ન કરાવનાર સામે પોલીસે ફોજદારી કેસ કર્યા

ભુજઃ કચ્‍છમાં રોજગારી માટે આવતા પરપ્રાંતિય લોકોને ભાડે મકાન આપનાર વ્‍યક્‍તિએ પોલીસ સ્‍ટેશનમાં નોંધણી કરવી ફરજિયાત છે. મુન્‍દ્રામાંથી લોરેન્‍સ ીબશ્‍નોઇ ગેંગના બે શાર્પશુટરની ધરપકડના પગલે કચ્‍છ પોલીસ સતર્ક બની છે. કલેકટરનું જાહેરનામુ અમલમાં હોવા છતાં અમલવારી ન થવાથી પોલીસ વડાએ સ્‍પેશ્‍યલ ડ્રાઇવ કરતા 370 મકાન માલીકોએ નોંધણી કરાવી છે જ્‍યારે નોંધણી ન કરાવનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.

કચ્છમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જોકે તેમની આડમાં ખૂંખાર ગુનેગારો પણ કચ્છમાં પનાહ લેવા લાગ્યા છે. તાજેતરમાં મુન્દ્રામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ હતી. આવા કુખ્યાત ગુનેગારોને પકડવા અને કચ્છમાં કોઈ ઘૂસણખોરી ના કરી શકે તે માટે હવે ભાડે રહેતા ભાડૂઆતને પોલીસ ચોકીમાં વેરીફાઈ કરવાનું રહેશે. સાથે સાથે મકાન માલિકને પણ વેરીફાઈ કરવાનું રહેશે.

કચ્છમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જોકે તેની આડમાં ખૂંખાર ગુનેગારો પણ કચ્છમાં પનાહ લેવા લાગ્યા છે. તાજેતરમાં મુન્દ્રામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ હતી. જેમાં તપાસ દરમિયાન બંને જણાએ પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સામાન્ય રીતે પરપ્રાંતિય વ્યક્તિને મકાન ભાડેથી આપવામાં આવે તો તેની નોંધ પોલીસમાં કરાવવી પડે છે. પણ કચ્છમાં ભાડુઆત નોંધણી માટે કલેક્ટરનું જાહેરનામું અમલમાં હોવા છતાં તેની અમલવારી થતી ન હતી.

જેથી પોલીસવડા સૌરભસિંઘ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ કરાવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા કુલ 402 ઘર ચેક કરવામાં આવતા તેમાંથી 370 વ્યક્તિઓએ પોલીસમાં ભાડુઆતની નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસની તાકીદ બાદ પશ્ચિમ કચ્છમાં ભાડુઆત નોંધણી માટે મકાનમાલિકોમાં જાગૃત બન્યા હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. શૂટર ઝડપાયા બાદ કચ્છમાં 21 જુનથી 30 જૂન સુધીની ખાસ ડ્રાઇવ આપવામાં આવી હતી, જેમાં SOG સહિત વિવિધ પોલીસમથક દ્વારા કુલ 402 ઘર ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 370 મકાનમાલિક દ્વારા પરપ્રાંતિય વ્યક્તિને મકાન ભાડે આપ્યાની નોંધ પોલીસમાં કરાવતા કોઈ પગલાં નથી લેવાયા. પણ અન્ય 32 કિસ્સામાં નોંધ કરાવી ન હોવાથી તેઓ સામે ફોજદારી ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.

આ વિશે કચ્છના એસપી સૌરભ સિંઘે કહ્યુ કે, ડ્રાઇવ દરમ્યાન સારી કામગીરી થઈ છે, મકાનમાલિકો દ્વારા ભાડુઆતની નોંધ પોલીસમાં કરાવાઇ રહી છે, તેમની સાથે કોન્ટ્રાક્ટરોએ પણ પોતાના મજૂરોની નોંધ પોલીસમાં કરાવી વેરિફિકેશન કરાવવું જરૂરી છે. જેથી પોલીસ તે વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? તે પોર્ટલ મારફતે ચેક કરી શકે, હજી પણ જે લોકોએ ભાડુઆત કે મજૂરોની નોંધણી કરાવી નથી. તેઓ નજીકના પોલીસ મથકમાં જઈ પોલીસ વેરિફિકેશન કરાવી લે તે ફરજીયાત બનાવાયુ છે. પરપ્રાંતિય લોકો જ્યારે મકાનમાં ભાડેથી રહેવા માટે આવે ત્યારે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકે તેઓનો ઓળખપત્ર તથા તેઓના ફોટોગ્રાફ સહિતની વિગતો મેળવી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે મકાનમાલિકોએ ભાડુઆતની જાણ પોલીસને કરાવી ન હતી તેવા કિસ્સામાં ગુનો રજિસ્ટર કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં માનકુવા, માધાપર, મુન્દ્રા, નખત્રાણા, દયાપર અને એસઓજી દ્વારા કોર્ટમાં જાણ કરવામાં આવી છે.

પોલીસમથકે રૂબરૂ જઇને પોતાના ભાડુઆતની નોંધણી કરાવી શકાય છે અથવા તો ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ એપમાં પણ ઘરેબેઠા ભાડુઆતની નોંધ દાખલ કરાવી શકાય છે. અથવા તો નજીકના પોલીસ મથકમાં જઇને પણ મદદ લઇ શકાય છે.

કચ્છ જિલ્લામાં બે બંદરો ઉપરાંત મોટી સંખ્યામાં ઉદ્યોગો આવેલા હોવાથી અહીં દેશના વિભિન્ન રાજ્યોમાંથી લોકો મજૂરી માટે આવતા હોય છે. તેમાંય મુન્દ્રા, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઉદ્યોગો વધુ હોવાથી અહીં પરપ્રાંતીય લોકોની અવરજવર વધારે છે, ત્યારે અહીં રહેતો વ્યક્તિ ખરેખર મજૂર છે કે પછી ગુનેગાર છે તેની જાણ રહેતી નથી. અગાઉ પણ ઘણા કુખ્યાત ગુનેગારો કચ્છમાંથી ઝડપાઈ ચુક્યા છે, ત્યારે આ સરહદી જિલ્લો હવે ધીરેધીરે ગુનાખોરીના જોક તરફ ઢળી રહ્યો હોય તેવો તાલ વર્તાઈ રહ્યો હોવાથી પરપ્રાંતિય વ્યક્તિઓને મકાન ભાડે આપ્યાની જાણ પોલીસમાં કરાવવા માટેનો કાયદો કડક બનાવવામાં આવ્યો છે. જેમાં ફોજદારી ફરિયાદ સહિતના પગલાં લેવાયા છે.

(5:53 pm IST)