ભાવનગરમાં ૪૪ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાઃ જ્યારે ૩૯ કોરોનામુકત
જિલ્લામાં નોંધાયેલ ૧,૭૧૨ કેસો પૈકી ૪૪૩ દર્દીઓ સારવાર હેઠળ
ભાવનગર,તા.૭: ભાવનગર જિલ્લામાઙ્ગ ૪૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૭૧૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના ભુતેશ્વર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નવાગામ (ચિરોડા) ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, પાલીતાણા ખાતે ૪, સિહોર ખાતે ૩, ઉમરાળા તાલુકાના દ્યોળા ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૬ અને તાલુકાઓના ૧૩ એમ કુલ ૩૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૭૧૨ કેસ પૈકી હાલ ૪૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧,૨૩૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.