સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

મોરબી જીલ્લામાં રવિવારે કોરોનાના નવા ૨૧ કેસ : વધુ ૧૮ દર્દીઓ ડીસ્ચાર્જ

કુલ કેસનો આંક ૧૧૧૯ થયો : ૨૪૩ એક્ટીવ કેસ જયારે ૮૧૯ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી જીલ્લામાં પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં રવિવારે કોરોનાના નવા ૨૧ કેસો નોંધાયા છે જયારે ૧૮ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે
મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ગ્રામ્યમાં ૦૪ અને શહેરી વિસ્તારમાં ૧૩ સહીત ૧૭ કેસો નોંધાયા છે વાંકાનેરમાં શહેરી વિસ્તારમાં ૦૩ કેસો, જયારે માળિયામાં ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૧ કેસ નોંધાયા છે
જયારે વધુ ૧૮ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૧૧૧૯ થયો છે જેમાં ૨૪૩ એક્ટીવ કેસ જયારે ૮૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે

(10:43 pm IST)