સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

ભાવનગર - જીલ્લામાં કોરોનાના એક સાથે ૪૯ પોઝીટીવ કેસ : કુલ કેસ ૩૧૪૧

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭:  ભાવનગર જિલ્લામા વધુ ૪૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૧૪૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૦ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ૨૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારેઙ્ગ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૪ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૫૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૧૪૧ કેસ પૈકી હાલ ૫૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૫૩૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:39 am IST)