ઉનામાં વિશ્વ વૃધ્ધદિન
ઉના સરગમ યુવા મંડળ સંચાલીત આશ્રમ વૃધ્ધાશ્રમમાં જીવનની સંધ્યાએ પહોચેલ વૃધ્ધા વડીલોને રહેવા જમવાની વિનામુલ્યે સગવડ આપવામાં આવે છે. ત્યાં સરગમ યુવા મંડળ ઉના ગીર સોમનાથ જીલ્લા સમાજ સુરક્ષા વિભાગનાં સહકારથી વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી વસીમભાઇ એ સૈયદ, ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, જીલ્લાના મહેશભાઇ ગૌસ્વામીએ ખાસ હાજરી આપી હતી. અતિથી વિશેષ તરીકે સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ જેઠવા, નિયામક સોનમબેન રાઠોડ, કેશુભાઇ વાળાની હાજરીમાં દિપ પ્રાગટય કાર્યક્રમનો આરંભ કરાયો હતો સંસ્થામાં રહેતા વડીલોને ગુલાબનું ફુલ અને ભેટ આપી સન્માન કરાયુ હતું. સંતવાણીના કલાકાર અશોકભાઇ વ્યાસ દ્વારા ભકિત સંગીત ગીતો રજુ કર્યા હતા. ન.પા.ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશીએ સમાજમાં વૃધ્ધો ઉપર થતા અત્યાચારો નાબુદ થવા જોઇએ પરિવારે વડીલોને ઘરે સાચવી સેવા કરવી જોઇએ જે સંતાન વડીલોને વૃધ્ધાશ્રમમાં રહેવા મજબૂર કરે તેની સામે પગલા લેવા જોઇએે. આભારવિધી વિનોદભાઇ જેઠવા એ કરેલ કાર્યક્રમનું સંચાલન વૃધ્ધાશ્રમના સુપ્રિટેન્ડેન્ટ ધારાબેન જોશીએ કરેલ હતું.વૃધ્ધદિન ઉજવણી કાર્યક્રમની તસ્વીર