ઉનામાં તલવાર રાસ ઉના
ગાયત્રી સોસાયટીમાં ભુતડાદાદા ગરબી મંડળ દ્વારા મહિલા આગેવાન દિપાબેન મહેકભાઇ બાંભણીયા દ્વારા એ.સી.ગ્રુપના નેજાહેઠળ તેમના સાસુ મુકતાબેન, મનોજભાઇ બાંભણીયા દ્વારા ૨૫ વરસથી અવિરત પ્રાચીન અર્વાચીન ગરબી ચાલી રહી છે. આજે આ ગરબીમાં અમદાવાદનાં નિકીતાબા રાઠોડ દ્વારા ચાલતુ ક્ષત્રિત્વ તલવાર બીજા ગ્રુપની તાલીમ પામેલ ૧૦થી ૧૨ બાળાઓએ તલવાર રાસ રજુ કરેલ છે. નવદુર્ગાના સ્વરૃપ બાળાઓએ પ્રથમ વાર તલવાર રાસ રજુ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા અને નિકિતા બા રાઠોડે જણાવેલ કે સ્ત્રી બે સબળા નારી બનાવવા ધણા વરસોથી ૨૫૦૦થી ૩૦૦૦ બાળાઓને તલવારનાં વિવિધ શીખવાડે છે. નિપુણ બનાવેલ છે. પોતાનું રક્ષણ જાતે કરવા મહિલા સબળા બનવા જણાવેલ છે. ઉનામાં એસી ગ્રુપ દ્વારા નવરાત્રીનાં નવદિવસ દરમ્યાન બહેનો નિર્ભ રીતે રાસ–ગરબા રમી શકે છે.