સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

સ્વ. મનસુખભાઇ બારાઇનાં જન્મદિને મીઠાપુરની બાલમુકુંદ પાંજરાપોળમાં ગૌમાતાને ઘાસચારો અર્પણ : પ્રાર્થનાસભા

ઓખા,તા. ૮ : સ્વ. મનસુખભાઇ બારાઇ (અદા)ના જન્મદિવસ નિમિતે બાલમુકુંદ ગૌશાળામાં પ્રાર્થનાસભા યોજાઇ-અસકત બીમાર ગૌમાતાને ખોળ ઘાસચારો આપવામાં આવ્યો હતો.

રઘુવંશી સમાજના ઓખા મંડળના અગ્રણી, ગૌપ્રેમી સ્વ.મનસુખભાઇ બારાઇ (અદા) બાલમુકુંદ ગૌશાળાના પ્રમુખ આજ આપણી વચ્ચે છે નહીં પરંતુ તેમના આશીર્વાદ હમેંશા આપણા સહુ પર છે જ. 

તેમની યાદમાં તેમના જન્મદિવસ નિમિતે 'બાલમુકુંદ પાંજરાપોળ-મીઠાપુર' ખાતે અસકત બીમાર ગૌવંશને ખોળ ભુશો અને ઘાસચારો ખવડાવીને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા રાખી હતી. (તસ્વીર-અહેવાલ ઃ ભરત બારાઇ-ઓખા)

(11:36 am IST)