સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

ઘંટેશ્વર ૨૫ વારીયામાં મુરગીના ધંધાર્થી રશીદ કુરેશી પર વાજીદ દારૃવાલાનો પાઇપથી હુમલો

અગાઉનું મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયાનું રશીદના પત્નિનું કથન

રાજકોટ તા. ૮ :  જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં અને ઘર નજીક મુરગીની દૂકાન ધરાવતાં રશીદ ફિરોઝભાઇ કુરેશી (ઉ.૩૨) પર સાંજે સાતેક વાગ્યે દૂકાન નજીક હતો ત્યારે પોપટપરાના વાજીદ દારૃવાલા અને અજાણ્યાએ પાઇપથી હુમલો કરી માથામાં ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

રશીદના પત્નિના કહેવા મુજબ રશીદની દૂકાનની બાજુમાં વનરાજને પાનની દૂકાન છે. વનરાજ પાસે પૈસાની લેતીદેતી મામલે વાજીદ માથાકુટ કરતો હોઇ અગાઉ રશીદને પણ તેની સાથે માથાકુટ થઇ હતી. તે તેને વનરાજ સાથે ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં તેના પર હુમલો થયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:27 pm IST)