મોરબીના સર્કીટ હાઉસમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વિવિધ ક્ષેત્રના લોકોના પ્રશ્નો સાંભળ્યા.
સર્કીટ હાઉસ ખાતે લોક દરબાર જેવો માહોલ સર્જાયો.
મોરબીના સર્કીટ હાઉસ ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે વિવિધ અરજદારોના પ્રશ્નો સાંભળી વન બાય વન અરજદારોને મળ્યા હતા અને વિવિધ અરજદારોના પ્રશ્નો ઉકેલવા સતત કાર્યરત સ્થાનિક ધારાસભ્ય અને મંત્રીની કામગીરીની અરજદારો પણ સરાહના કરી રહ્યા છે
મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા પોતાના મતક્ષેત્રમાં જનતાના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ રહે છે જેમાં આજે મોરબીના સર્કીટ હાઉસ ખાતે વિવિધ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા જેમાં સરપંચ, ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓના બદલીના પ્રશ્નો અને શિક્ષણના પ્રશ્નો મંત્રી સમક્ષ રજુ કરવા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમને વન બાય વન મળીને અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સીધો સંપર્ક કરીને પ્રશ્ન ઉકેલવા સુચના આપી હતી
તેમજ જે તે વિભાગના રાજ્યકક્ષાના પ્રશ્નો અંગે પીએસને લેખિતમાં આપી લેટરપેડ પર જરૂરી લેખિત રજૂઆત કરવા સૂચનાઓ આપી હતી જેથી અરજદારોએ મંત્રીના અભિગમને બિરદાવ્યો હતો અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટેની કામગીરીને બિરદાવી હતી.