સાવરકુંડલા : કોંગ્રેસના માઇનોરીટી ડિપાર્ટમેન્ટમાં વજીરખાન પઠાણ દ્વારા સંગઠનની કામગીરી
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૮ : ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ જે મૃત્યુપ્રાય હાલતમાં હતું તેને સંગઠિત અને સજીવન બનાવનાર ગુજરાત ના કદાવર નેતા વજીરખાંન પઠાણ કામગીરી ની સમગ્ર ગુજરાત માં વાહ વાહ થવા લાગી છે.
અગાઉનું ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ નું એકદમ મુત્યુપ્રાય હાલતમાં હતું તે માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ને ચેતનવંતુ બનાવવા ના ભાગરૂપે ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાનભાઈ પ્રતાપગઢી એ ગુજરાત પ્રદેશ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે શ્રી વજીરખાન પઠાણ ઉપર કળશ ધોળવવામાં આવ્યો ત્યારે ધણી ઉત્સાહ ધગજ પ્રમાણે ગુજરાતના ખૂણે ખૂણે ઘૂમી વણી ગોતી ગોતી ટકોર મારી મુસ્લિમ સમાજ માં સારૂં પ્રભુત્વ અને લોકચાહના ધરાવતા વજનદાર મુસ્લિમ અગ્રણીઓ ની વિવિધ જિલ્લાના ચેરમેન તરીકે અને પ્રદેશમાં વિવિધ મહત્વના પદ ઉપર વરણી કરેલ છે જેમાં મુસ્લિમ સમાજ અને લઘુમતીમાં આવતી તમામ જ્ઞાતિ ઓ સમાવેશ કરવામાં આવેલ છે
ગુજરાતના તમામ જિલ્લામાંથી પ્રદેશ કક્ષા એ સમાવેશ કરવા માટે સિનિયર વફાદાર અને ચુસ્ત કૉંગ્રેસીને પસંદગી કરેલ હતી તેમાં વિવિધ પ્રકારની નિયુક્તિમાં કોય જિલ્લાને કે માઈનોરેટી ડિપાર્ટમેન્ટ માં આવતી તમામ જ્ઞાતિ ને સમજ પૂર્વક ન્યાય આપવા માં આવેલ છે
શ્રી વજીરખાંન પઠાણની આવડત અનુભવ અને કુનેહ પૂર્વકના સંગઠન માળખું ખૂબ અસર કારક અને ચેતણવંતુ બન્યું છે અને આવનારી વિધાનસભાની ચૂંટણી માં કૉંગ્રેસ પક્ષના જીતમાં માઈનોરેટી ડિપાર્ટમેન્ટનો મહત્વનો અને સિંહ ફાળો હશે
ગુજરાત માઈનોરેટી ડિપાર્ટમેન્ટનું સંગઠન માળખું શ્રી વજીરખાંન પઠાણે બનાવેલ છે તે સંગઠન માળખું દેશ લેવલે પ્રથમ નંબરનું અને મહત્વ નું સાબિત થશે. શ્રી વજીરખાંન પઠાણની જબરી અને પ્રસંશનીય કામગીરીને ધારાસભ્ય ગયાસુદીનભાઈ શેખ. જાવેદબાપુ પીરજાદા. ઇમરાનભાઈ ખેડાવાળા. કદીરપીરજાદા વિધવાન એડવોકેટ આયુબભાઈ શેખ. વિગેરે સૌરાષ્ટ્ર ગુજરાતના માઈનોરેટી ડિપાર્ટમેન્ટના અગ્રણી બિરદાવી ને અભિનંદન પાઠવેલ હતા.