જેતપુરની SBI બેંકમાંથી રૂ. 43.75 લાખની ઉચાપત કરી નાશી ગયેલ કર્મચારી વિજય દાણીધારિયાએ ઝેરી દવા પી આપઘાત કર્યો
વિજયે વીરપુર ખાતે આવેલ એક મંદિરના ઓટા ઉપર કોઈ ઝેરી પ્રવાહી પી આત્મ હત્યા કરી
જેતપુર :શહેરના જૂનાગઢ રોડ ઉપર આવેલ SBI બેંકના મેનેજરે કર્મચારી વિજય ગંગારામ દાણીધારિયા ( રહે વીરપુર) ને ગત ઓકટોબર 2021 ના રોજ એ ટી એમ. મશીન માં બપોરના સમયે રૂપિયા નાખવા માટે આપેલ પરંતુ રિષેશ પૂરી થવા છતાં પરત નહિ ફરતા મેનેજરે તપાસ કરતા એ ટી એમ મશીન ખુલ્લું હોય અને વિજય પરત નહિ ફરતા તપાસ કરતા તેમણે એક ચિઠ્ઠી લખેલ જેમાં લખ્યું હતું કે તેના ઉપર કરજ વધી ગયું હોય આવું પગલું ભર્યું છે. તેથી મેનેજરે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા શહેર પોલીસ બાદ એલ.સી.બી. એ વિજય ની શોધ ખોળ હાથ ધરેલ દરમ્યાન ગઈ કાલે વિજયના મિત્રને તપાસ માટે પકડતા પોતાને પકડાઈ જવાની બીકે કદાચ આજે વિજયે વીરપુર ખાતે આવેલ એક મંદિરના ઓટા ઉપર કોઈ ઝેરી પ્રવાહી પી આત્મ હત્યા કરી લીધેલ. આ બનાવ ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચતા ત્યાં એક પાણી અને એક કોલ્ડ્રિંકસ ની બોટલ પાડેલ હોય. પોલીસે વિજય ની લાશ ને પી.એમ. માટે હોસ્પિટલે ખસેડયો હતો.