મોરબીમાં ફકીર યુવાનની હત્યા
આઠેક વર્ષ પહેલા પ્રેમસંબંધ હોય જેનુ સમાધાન થઇ ગયા બાદ યુવતિના ભાઇએ ખાર રાખી છરી ઝીંકી દીધી
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૮: મોરબીના રામધાટ નજીક રાત્રીના એક ફકીર યુવાનને છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને બાદમાં મૃતદેહને પી એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રફીક ઉર્ફે ગુલાબ અબ્બાસભાઈ રફાઈને છરીના ઘા ઝીકવામાં આવ્યા હોય જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો બનાવ અંગે રફીક ઉર્ફે ગુલાબના પિતા અબ્બાસભાઈ રફાઈએ ફરિયાદ નોંધાવી છે કે રફીક ઉર્ફે ગુલાબને આરોપી રીયાઝ ઉર્ફે રૈયાકત હાજીભાઇ ખુરેશીની બહેન સાથે સાત-આઠ વર્ષ પહેલા પ્રેમ સબંધ હોય જેનું અગાઉ ઘર મેળે સમાધાન થઇ ગયેલ હોય તેમ છતાં આરોપી રીયાઝ ખુરેશીએ તે બાબતનો ખાર રાખી તિક્ષ્ણ હથિયાર છરી વડે છાતીના ભાગે તથા ડાબા હાથે તથા જમણા પગે ઘા મારી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે આરોપી રીયાઝ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે.