જામનગરમાં સી.એ. બ્રાન્ચ દ્વારા બજેટ એનાલિસિસ સેમિનારનો કાર્યક્રમ સંપન્ન
જામનગરઃ જામનગર બ્રાન્ચ ઓફ WIRC ઓક ICAI ના અધ્યક્ષા સીએ દીપા ગોસ્વામી ના નેજા હેઠળ સી. એ. ની શાખા દ્વારા તાજેતર માં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ પર સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધીરુભાઈ અંબાણી વાણિજય ભવન ખાતે આઈ. સી. એ. આઈ. દિલ્લી ના ભુતપૂર્વ પ્રમુખ હાલ અમદાવાદ ના સિનિયર સીએ, સુનિલભાઈ તલાટી સાહેબે બજેટ એનાલિસિસ ના કાર્યક્રમ માં બજેટ ના વિષય પર જિણવટ પૂર્વક પોતાનું વક્તવ્ય આપેલ. આ કાર્યક્રમમાં ચેરપર્સન સીએ. દીપા ગોસ્વામી, વાઇસ ચેરપર્સન સીએ. પ્રતિક ચાંદ્રા, સેક્રેટરી સીએ. પ્રિતેશ મહેતા, ખજાનચી સીએ. મહમદ સફી કુરેશી તથા જામનગર વિકાસા ચેરપર્સન સીએ. હરદીપસિંહ જાડેજા અને મેનેજિંગ કિમીટી ના સભ્ય સીએ જયદીપ રાયમંગિયા તથા જામનગર બ્રાન્ચના ભુતપૂર્વ ચેરમેનો તથા ૨૦૦ થી વધારેની સંખ્યામાં અન્ય સીએ તથા સીએના વિદ્યાર્થીઓ તથા જામનગર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા,જામનગર)