જેતપુર પીજીવીસીએલના કર્મચારીના આપઘાત પ્રકરણમાં મહિલા સહિત ૩ની ધરપકડ
પકડાયેલ ત્રણેયને આજે કોર્ટમાં રજૂ કરાશે
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૮ :.. જેતપુરમાં પીજીવીસીએલ.ના કર્મચારીને હનીટ્રેપમાં ફસાવી આપઘાત માટે મજબૂર કરનાર મહિલા સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ શહેરના અમરનગર રોડ વિસ્તારમાં રહેતા હરેશભાઇ વણઝારાના નાનાભાઇ કે જેઓ પીજીવીસીએલ.માં ફરજ બજાવતા હર્ષદભાઇ ને શહેરના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા દંપતિ સોનલબેન પરમાર, તથા તેનો પતિ રાજૂ હરીભાઇ પરમાર તથા તેનો બનેવી શાંતિ (રહે. ધણફુલીયા) એ હનીટ્રેપમાં ફસાવી સમાધાન માટે રૂપિયા માગેલ તે બાબતે સમાધાન કરી નાખેલ છતાં ત્રણેય શખ્સો ત્રાસ આપતા હોય તેનાથી કંટાળી જઇ હર્ષદભાઇએ ગળાફાંસો ખાઇ લીધેલ તેથી શહેર પોલીસે ત્રણેય શખ્સો વિરૂધધ ગુન્હો નોંધી ત્રણેય શખ્સોને પી. આઇ. અજયસિંહ હેરમાએ તાત્કાલીક પકડી પાડેલ. આજે ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરાશે.