વિસાવદર તાલુકાની સૌથી મોટી ૩૨ ગામની ખંભાળિયા જૂથ સહકારી મંડળીની ચુંટણી બિનહરીફ
વિસાવદરઃ વિસાવદર તાલુકાની ખંભાળિયા ખેડૂત જૂથ સહકારી મંડળીની ચુંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામે તમામ ૯ ડિરેકટરો ચૂંટણીમા બિનહરીફ થયેલ છે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ના માર્ગદર્શન હેઠળ અને ભાજપ સહકારી આગેવાન જેન્તીભાઇ ભુવાના નેતૃત્વમાં યોજાયેલી ચૂંટણીની આ પેનલ 'સમરસ' બની છે.મંડળીના ચાલુ ડિરેકટર શ્રી બાપલુભાઈ જેબલિયા અને વલ્લભભાઈ દુધાત્રા , લલિતભાઈ પાઘડાળ (દાદર) દ્વારા ફોર્મ પરત ખેંચી ખેડૂત મંડળી અને સહકારી પ્રવૃત્તિ મજબૂત કરવા માટે આ ત્રણે પોતાની ઉમેદવારી પરત ખેંચી આ પેનલ ને બિનહરીફ કરેલ છે. ભાજપ આગેવાન જેન્તીભાઇ ભુવાની પેનલને બિનહરીફ કરવા માટે તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રભાઈ સાવલિયા અને તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઇ કોટિલા એ ે જેહમત ઉઠાવી હતી. સંસ્થાના મેનેજર નારણભાઈ દુધાત્રા તેમજ ડી.આર. જૂનાગઢ ના પ્રતિનિધિ લીંબાસીયા સાહેબ દ્વારા સમરસ થયેલી આ બોડીની ચૂંટણી ને સંપન્ન કરેલ છે તેમ કોટીલાની યાદીમાં જણાવાયું છે