સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

સોમનાથ મંદિર એસ્ટેટ અધિકારી અને હોમગાર્ડ કમાન્ડર સુરુભા જાડેજાને સર્વોચ્ચ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક અર્પણ

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૮ :. સુપ્રસિદ્ઘ - વિશ્વ પ્રસિદ્ઘ સોમનાથ મહાદેવ મંદિરના એસ્ટેટ અધિકારી અને ગીર-સોમનાથના હોમગાર્ડના કંપની સાર્જન્ટ મેજર સુરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા એટલે કે સુરૂભા જાડેજાને તેમની હોમગાર્ડ કાર્યકાળ દરમ્યાનની સર્વોચ્ચ સેવાકીય, બંદોબસ્ત ઈલેકશન, વીઆઈપી સુરક્ષા, વાવાઝોડાઓ અને કોરોના સહિતની વિવિધ શ્રેષ્ઠ કામગીરીઓને અનુલક્ષી આજે અમદાવાદ ખાતે લાલ દરવાજા હોમગાર્ડ ભવન ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક અર્પણ કરાયો.
તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના ઘોષીત થયેલ. આ એવોર્ડના આજના સમારોહમાં રાજ્ય ગૃહમંત્રી ઉંપરાંત ગુજરાત રાજ્ય હોમગાર્ડના ડાયરેકટર જનરલ અને સીવીલ ડીફેન્સ નીરજા ગોટરૂ, રાજ્યના ઉંચ્ચ પોલીસ અધિકારીઓ ટી.એસ. બિસ્ટ, અન્સારી તથા અમદાવાદ કોર્પોરેશનના મેયર સહિતના પોલીસ તથા હોમગાર્ડના અધિકારીઓ ઉંપસ્થિત રહ્યા અને સર્વએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સુરૂભાને તેના મોબાઈલ નં. ૯૪૨૮૨ ૧૪૯૧૧ ઉંપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહેલ છે.

 

(10:29 am IST)