News of Thursday, 8th December 2022
ઉપલેટાની સ્મૃતિ ક્લિનીકનો ૪૨માં વર્ષમાં પ્રવેશ સાથે કાલે નવપ્રસ્થાન
બાળરોગ નિષ્ણાંત ડો. મહેન્દ્ર સવજાણીની
રાજકોટ તા. ૮ : ઉપલેટાના ખ્યાતિપ્રાપ્ત બાળરોગ નિષ્ણાંત ડો. મહેન્દ્ર પી. સવજીયાણીના ‘સ્મૃતિ કલીનીકનો સફળતમ ૪૨ માં વર્ષમાં પ્રવેશ થયેલ છે. બાળકોના રોગોના નિદાન અને રસીકરણ કેન્દ્રની સેવા ચલાવતા આ ‘સ્મૃતિ કલીનીક'નું નવીનીકરણ સાથે નવપ્રસ્થાન થયેલ છે. જેનો મંગલારંભ તા. ૯ ના શુક્રવારે સવારે ૯ વાગ્યે થશે. સગા સ્નેહી અને શુભેચ્છકો દ્વારા આ નવપ્રસ્થાનના અવસરે શુભેચ્છાઓ વરસાવવામાં આવી રહી છે.
(11:32 am IST)