મોરબીના મહેન્દ્રનગર નજીક ટ્રકે એકટીવાને હડફેટે લેતા આધેડનું સારવારમાં મોત.
મોરબીના મહેન્દ્રનગર નજીક આધેડ પોતાનું એકટીવા લઈને જતા હોય દરમિયાન ટ્રકના ચાલકે ઠોકર મારી દેતા ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાની નોધ મોરબી બી ડીવીઝન પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના પીપળી ગામે રહેતા ચંદુભાઈ જગજીવનભાઈ સંધાણી (ઉ.૫૫) પોતાનું એકટીવા લઈને જતા હોય દરમીયા મહેન્દ્ર્નગર ચોકડી એ પહોચતા અજાણ્યા ટ્રકના ચાલકે ટ્રક પુર ઝડપે ચલાવીને ચંદુભાઈને એકટીવા સાથે હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત તા. ૬ ના રોજ ચંદુભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મોરબી બી ડીવીઝન પોલીસ મથકેથી મળી હતી તો ધટના અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.