સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th June 2022

કેશોદના અજાબ પાસે બાઇક સ્‍લીપ થતાં શેરગઢના જેસાભાઇ છેલાવડાનું મોત

દિકરીની ઘરેથી પરત આવતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૯: કેશોદના અજાબ અને કરણી ગામ વચ્‍ચેના રસ્‍તા પર બાઇક સ્‍લીપ થતાં શેરગઢ ગામના જેસાભાઇ હમીરભાઇ છેલાવડા (મૈયા દરબાર) (ઉ.વ.૫૫)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું છે.

જેસાભાઇ બાઇક હંકારીની તેમની દિકરીના ઘરે મેસવાણ ગામે ગયા હતાં. ગત રાતે ત્‍યાંથી પરત પોતાના ગામ શેરગઢ આવી રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જેસાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્રાથમિક નોંધ કરી કેશોદ પોલીસને જાણ કરી હતી.R

(11:42 am IST)