પોરબંદરમાં ભૂપેન્દ્રભાઇ પટેલ શનિવારે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે
હરઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી હેઠળ ભાજપ દ્વારા તિરંગા યાત્રાઃ કમલા બાગ સુદામા ચોક સુધી તિરંગા યાત્રા બાદ મુખ્યમંત્રીની જાહેર સભા
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯ : હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી હેઠળ તા. ૧૩ મીએ શનિવારે યોજાનાર તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જોડાશે અને તિરંગા યાત્રા બાદ સુદામા ચોકમાં જાહેર સભાને ભૂપેન્દ્રભાઇ પટેલ સંબોધન કરશે.
હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શનિવારે તા. ૧૩ મીએ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૧ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદર ભાજપ પરિવાર દ્વારા વિવિધ સંસ્થાના સહકારથી હરઘર તિરંગા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં છે.
હર ઘર તિરંગા કાર્યક્રમોમાં ૧૩ મી એ શહેરમાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કમલાબાગથી સુદામા ચોક સુધી યોજાશે. તિરંગા યાત્રા સુદામા ચોકમાં પૂર્ણ થયા બાદ ભૂપેન્દ્રભાઇ પટેલ જાહેર સભાને સંબોધન કરશે.
મુખ્યમંત્રીના આગમનને લઇને ભાજપ દ્વારા તૈયારીઓ શરૃ થઇ છે. ભાજપના આગેવાનો અને કાર્યકરો મુખ્યમંત્રીના આગમનને લઇને સ્વાગત સહિત તૈયારીઓમાં લાગી ગયેલ છે.