સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 9th September 2020

જામનગરમાં એસ.ટી બસો ચાલુ થતા ડેપોમાં મુસાફરોની ચહલ પહલ જોવા મળી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃજામનગરમાં ૬ મહિના બાદ એસ.ટી.ની લોકલ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે જામનગર એસ.ટી. ડેપોમાં મુસાફરોની ચહલપહલ જોવા મળી રહી છે.જામનગર એસ.ટી વિભાગ દ્વારા જામનગર જિલ્લાના ૪૧૫ ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આસપાસના અન્ય જિલ્લાઓ માં જવા માટે કોરોનાના કપરા કાળમાં ૬ મહિનાથી બંધ એસ.ટી. બસ ની લોકલ અને અન્ય બંધ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. કુલ ૭૩ બસો દોડતી થઈ છે અને ૩૫૦ જેટલી ટ્રીપો શરૂ કરવામાં આવતા મુસાફરોને સહેલાઈથી અન્ય સ્થળે જવામાં પડતી મુશ્કેલીઓ ઓછી થઈ છે. જામનગરના બસ ડેપો પર આજે સવારે લોકલ, ઇન્ટરસીટી સહિતની બંધ બસ સેવા ૬ મહિના બાદ શરૂ થતાં મુસાફરો પણ ઓછા ભાડાથી મુસાફરી માટે સુવિધા ઉપલબ્ધ થતા ખુશ જોવા મળી રહ્યા છે.(તસવીરઃ કિંજલ કારસરીયા,જામનગર)

(1:00 pm IST)