સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th January 2022

જૂનાગઢ જિલ્લામાં કોરોના વકર્યો : નવા 44 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 33 કેસ, વંથલીમાં 7 કેસ, માળીયા, માણાવદર જૂનાગઢ ગ્રામ્ય અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો, છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,

 આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા નવા 44 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 33 કેસ, વંથલીમાં 7 કેસ, માળીયા, માણાવદર જૂનાગઢ ગ્રામ્ય અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો છે

(8:49 pm IST)