સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

જામજોધપુર શહેરને કાલે સંપૂર્ણ સેનેટાઇઝ કરવા ચિફઓફિસર ને પત્ર પાઠવી જામજોધપુર ના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાની રજૂઆત

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર ::શહેરમાં હાલ કોરોના વાઇરસ સક્રિયપણે બીજા તબક્કામાં અતિવેગથી ફેલાય રહ્યો છે.ત્યારે આ પરિસ્થિતિને કાબુમાં રાખવા તેમજ લોકોનું આરોગ્ય વધુ ન જોખમાય તે હેતુસર આવતીકાલે તા.૧૧ ને રવિવારના રોજ શહેરમાં સેનિટાઇઝેશન પ્રક્રિયા તેમજ જંતુનાશક દવાનો છટકાવ કરાવી તાત્કાલિક અસરથી સ્વચ્છતાલક્ષી પગલા લેવડાવવા ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા એ ચીફઓફિસર ને ભારપૂર્વક ભલામણ કરી છે.

(7:48 pm IST)