પોરબંદરના પોલીસ સ્ટેશનમાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
માસ્ક નહી પહેરવાના ગુન્હામાં યુવાનને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા બાદ બનાવઃ પોલીસે એ.ડી. નોંધી
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: મેમણવાડા વિસ્તારમાં જાહેરમાં માસ્ક નહી પહેરનાર કાદર સીંધી નામના મુસ્લીમ યુવાનને પોલીસે કીર્તીમંદિર પોલીસ સ્ટેશને લઇ ગયેલ અને પોલીસ સ્ટેશનમાં પહોંચતા કાદર સીંધીનું હ્ય્દયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
મેમણવાડી વિસ્તારમાં સાંજે કાદર સીંધી નામનો યુવાન ઘર બહાર ઉભો હતો ત્યારે તેમણે માસ્ક પહેર્યુ ન હોય પોલીસે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા કાદરને કીતીમંદિર પોલીસ સ્ટેશનમાં લઇ ગયેલ અને પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ તેમને હ્ય્દયરોગનો હુમલો આવી જતા તેનું મૃત્યુ નિપજયું હતું.
હ્ય્દયરોગનો હુમલો આવી જતા તેનું મૃત્યુ નિપજયું હતું. હ્ય્દયરોગના હુમલાથી કાદર સીંધી નામના યુવાનનું મૃત્યુ થતા પોલીસે અકસ્માતે મોત (એ.ડી.) નોંધીને તપાસ હાથ ધરી છે.