સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ધોરાજીના સ્ટેશન રોડ ઉપર ગેરેજ સંચાલકે ફાંસો ખાધો

ધોરાજી તા. ૧૦ : સ્ટેશન રોડ અવંતિકા એપાર્ટમેન્ટની સામે ધારાસભ્ય લલિત વસોયાની ઓફિસની બાજુમાં ઘનશ્યામ ઓટો ગેરેજના સંચાલક આર્થિક સંકડામણથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા એ જણાવેલ કે મનીષભાઈ હીરાભાઈ યાદવ ઉંમર વર્ષ ૪૯ એ પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ પામ્યો હતો ઉપરોકત બનાવવાની પત્ની સોનલબેન પાસેથી વિગત મેળવેલ છે અને લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

ઉપરોકત ઘટના સ્થળે ધારાસભ્ય લલિત વસોયા તેમજ કડિયા સમાજના પ્રમુખ રાજુભાઇ યાદવ વિગેરે દોડી ગયા હતા.

(10:32 am IST)