સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

કેશોદના ત્રણ દિ'થી ગુમ કોળી યુવાનની લાશ મળી : હત્યાની શંકા

કેશોદ,તા.૧૦ : કેશોદનો કોળી યુવાન અજય નાયક ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ હતો જેની  તોરણીયા હનુમાન મંદિર પાસેના પાણીના વોંકળામાંથી લાશ મળી આવેલ છે.અજય રમણભાઈ નાયક (ઉ.વ.૧૮) નામનો યુવાનની લાશને પાણીમાંથી બહાર કાઢી કેશોદ સરકારી હોસ્પિટલ લાવવામાં આવેલ હતી.  યુવાનનું મોત શંકાસ્પદ હોવાથી લાશને પી.એમ.માટે જામનગર મોકલવામાં આવેલછે. યુવાનનું મર્ડર થયાની આશંકા સેવાઈ રહેલછે. કેશોદ પોલીસે આ અંગે તપાસ હાથ ધરીછે.

(12:44 pm IST)