સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

જામનગરમાં કોરોનાના એક સાથે ૯૧ કેસ : એક મોત

જામનગર,તા.૧: જામનગરમાં કોરોનાનાઙ્ગ એક સાથે ૯૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે એક દર્દીનું મોત થયું છે. કુલ મૃત્યુ આંક ૧૭ થયો છે.

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના દરરોજ કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે અત્યાર સુધીના આરોગ્ય વિભાગ દ્વારા ૫૩૫૪૧ વ્યકિતઓના સેમ્પલ લેવામાં આવ્યા છે ત્યારે ૧૦૪ દર્દીઓને રજા આપવામાં આવી છે.

(12:48 pm IST)