News of Thursday, 10th September 2020
કચ્છ અને ભાવનગરમાં ભૂકંપના આંચકા
દુધઇ અને ભાવનગરથી ર૮ કી.મી. દુર ધરા ધ્રુજતા લોકોમાં ભય
રાજકોટ, તા., ૧૦: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઇ રહયા છે ત્યારે આજે કચ્છમાં ર અને ભાવનગરમાં ૧ ભૂકંપનો આંચકો અનુભવાતા ગભરાટ ફેલાયો છે.
ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે વહેલી સવારે ત્રણ વાગ્યે દુધઇથી ૧૦ કી.મી. દુર ભુકંપનો આંચકો ૧.૮ તીવ્રતાનો અનુભવાયો હતો.
જયારે સવારે ૧ં૦.૧૪ વાગ્યે દુધઇથી ૧૮ કી.મી. દુર દક્ષિણ દિશા તરફ ૩.૦ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો.
જયારે સવારે ૧૦.૧૪ વાગ્યે ભાવનગરથી ર૮ કી.મી.દુર પુર્વ દિશા તરફ ૧.૯ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
(3:26 pm IST)