સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

પંચર કરીને પરિવારનું ગુજરાન ચલાવનાર ટંકારાના યુવકનું કોરોનાથી મોતઃ બે સંતાનોઍ પિતાની છત્રછાયા ગુમાવી

ટંકારાઃ ટંકારાના આશાસ્પદ યુવાન વિશાલ અનિરુદ્ધ અગ્રાવત ઉંમર વર્ષ 34 નું કોરાની સારવારમાં મૃત્યુ થાય છે .તેને તારીખ ૧/૯/૨૦૨૦ ના રોજ કોરાના ની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ . તેનું તારીખ ૯/૯/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે .તેના મોટા ભાઈ ને પણ કોરાના પોઝિટિવ આવેલ છે ને સારવાર હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે .

વિશાલ અનિરુદ્ધ અગ્રાવત ને સંતાનમાં ઉંમર વર્ષ 4 તથા ઉંમર વર્ષ 7ના બે બાળકો છે સાયકલ તથા મોટરસાયકલના પંચર કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો .માતા-પિતા તથા કુટુંબ ઉપર આભ તૂટી પડેલ છે .
ટંકારા વિસ્તારમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતાં કોરોના ના ભયની લાગણી ઓ ફેલાયેલ છે 

(5:02 pm IST)