સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

સસલાનો શિકાર કરનાર ઘોઘાના બે શિકારી ઝબ્બે

ભાવનગર,તા. ૧૧: ભાવનગર જિલ્લામાં વિચરતા પશુ પક્ષીઓનો શિકાર માંસ ખાનારા અને વેચનાર તત્વો કરી કરાવી રહ્યા છે.જેમાં ભાવનગર ના રતનપર ગામની સીમમાં સસલાનો બે ઈસમો શિકાર કરી રહ્યાની બાતમીના આધારે ફોરેસ્ટ કર્મીઓ એ તપાસ હાથધરી હતી.જેને લઈ ઘોઘા ગામના બે મુસ્લિમ ઈસમોને ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથધરી હતી.

ફોરેસ્ટના નોર્મલ વિભાગના વનકર્મી ઇન્દ્રજીતસિંહ ગોહિલએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બાતમી મળેલ.આથી ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મેળવી બંને ઈસમો ને રંગે હાથ ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ હતા.જેને લઈ ઘોઘાના અસ્લમ મજીદભાઈ શેખ ઉ.વ ૪૯, અને અશરફ અલાઉદ્દીન શેખ ઉ.વ ૩૮ કરતા મૃત સસલું, શિકારના સાધનો સાથે પકડાઈ જવા પામેલ હતા. બંને ઈસમો સસલાનો શિકાર કરી મિજબાની માણતા હતા તેમ પૂછપરછ દરમિયાન શિકારીઓએ ખુલાસો કર્યો હતો.

શિકારીઓને ઝડપી પાડવા માટે નોર્મલ અને વિસ્તરણ વિભાગના દિવ્યરાજસિંહ સરવૈયા,સંજય દેસાઈ,વિક્રમ રાઠોડ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જોડાયા હતા.વન અધિનિયમ ૧૯૭૨ ની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી.

(12:17 pm IST)