જૂનાગઢ જેલમાંથી જામીન મેળવીને ફરાર આરોપી વરસડાથી ઝડપાયો
(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૧૧: મ્હેપોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ ,વચગાળાના જામીન પર મુકત ફરાર આરોપીઓને તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધીક્ષકશ્રી રવીતેજા વાસમશેટ્ટીના સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામા પેરોલ જંપ આરોપી તથા વચગાળાના જામીન પરના ફરાર આરોપીઓને તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૃરી સુચના આપેલ હોયજે અન્વયે પેરોલ ફર્લોસ્કોડના પો.સબ.ઈન્સ. આર.એ.બેલીમ તથા એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. રમેશભાઈ માલમ તથા પો.હેડ કોન્સ સંજયભાઈ વદ્યેરા,પો.કોન્સ સંજયભાઈ ખોડભાયા એ રીતેની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સીટી વિસ્તારમાં આરોપીઓને શોધવા સારૃ પેટ્રોલીંગમાં હતા બાતમી રાહે હકીકત મળેલ કે જૂનાગઢજેલ માથી ૬ માસ પહેલા વચગાળાના જમીન મેળવી ફરાર થયેલ આરોપી અજીતસિંહ ભોવાનસિહ કડે ગીયા ઉ.વ.૬૦ રે.જોષીપરા વાળો અમરેલી જિલ્લાના વર સડાગામે જતો રહેલ તેવી બાતમી રાહે હકીકત મળતા ઉકત ગામે જઇ વોચ તપાસ કરતા મજકુર આરોપી લાઠી રોડ ઉપર થી મળી આવતા તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોપવામાં આવેલ છે.