News of Monday, 11th January 2021
રાણાવાવની સીમમાં મૃત્યુ થયેલ ૮ મોરના સેમ્પલ પરીક્ષણ માટે ભોપાલ લેબમાં મોકલ્યા
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ :.. રાણાવાવની ગોવાણી સીમમાં મૃત્યુ થયેલ ૮ મોરના સેમ્પલ બર્ડ ફલ્યુની આશંકાને લઇને પશુ પાલન વિભાગ દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલની લેબ માટે પરીક્ષણ માટે મોકલ્યા છે.
રાણાવાવની ગોવાણી સીમમાં ૮ મોરના મૃત્યુ થયા બાદ બર્ડ ફલ્યુની આશંકાને લઇને મધ્ય પ્રદેશની ભોપાલ લેબમાં પરીક્ષણ માટે પશુ પાલન વિભાગ દ્વારા મોકલવામાં આવેલ છે.
રાણાવાવ સીમમાં અન્ય ૭ મોર બીમાર હાલતમાં મળી આવતા તેની સારવાર શરૃ કરી દેવામાં આવી છે. રાણાવાવ પંથકમાં કોઇ સ્થળે મૃત પક્ષી જોવા મળે તો વન વિભાગ - પશુપાલન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. રાણાવાવની ગોવાણી સીમમાં વાડી વિસ્તારમાંથી ૮ મોરના મૃતદેહ મળી આવ્યા હતાં.
(1:14 pm IST)