સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th May 2022

જામજોધપુરનાં ધુનડા પૂ. જેન્‍તીરામ બાપાના દર્શનનો લાભ લેતા રાજગોર સમાજના આગેવાનો

જુનાગઢ : ધુનડા સત પુરણધામ આશ્રમ ખાતે પૂ. જેન્‍તિરામબાપાના દર્શન અને આશિર્વાદ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ જયંતિભાઇ તેરૈયા તથા નિવૃત એએસઆઇ અરવિંદભાઇ રવિયા તથા શ્રીમતી અસ્‍મિતાબેન રવિયા સહિતના એ લાભ લીધો હતો અને આશ્રમ દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃતિ નિહાળી હતી. ઉપરોકત તસ્‍વીરમાં રવિયા દંપતિનું સાલ ઓઢાડી સન્‍માન કરતા પૂ. બાપા તેમજ અન્‍ય તસ્‍વીરમાં જયંતિભાઇ તેરૈયા વગેરે નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:24 am IST)