સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

ચોટીલા પાસે 'હિટ એન્ડ રન'માં ઘવાયેલા વલ્લભ વિદ્યાનગરના ચાવાળા કરસનભાઇ કારીયાનું મોત

વૃધ્ધ રાજકોટ રહેતાં પોતાના ભાણેજને મળવા આવી રહ્યા'તાં

રાજકોટ તા. ૧૧: ચોટીલા નજીક જલારામ મંદિર પાસે હાઇવે પર હિટ એન્ડ રનના બનાવમાં ઘવાયેલા વલ્લભ વિદ્યાનગરના વૃધ્ધ કરસનભાઇ ગોપાલભાઇ કારીયા (ઉ.વ.૬૫)નું મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વલ્લભ વિદ્યાનગરમાં રહેતાં કરસનભાઇ કારીયા તા. ૯ના રોજ બાઇક હંકારીને રાજકોટ રહેતાં ભાણેજના ઘરે આટો મારવા આવી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં કરસનભાઇને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર છ ભાઇમાં ચોથા હતાં અને વલ્લભ વિદ્યાનગર ખાતે એક ભાઇ સાથે રહી ચાનો થડો ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:41 am IST)