સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર-જુનાગઢ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૧: સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ દ્વારા સરકારશ્રીના જાહેરનામાં મુજબ દર્શનાર્થી માટે ભાવિક ભકતો માટે તા. ૧૧-૦૬-ર૦ર૧ થી રાબેતા મુજબ ખુલ્લુ રહેશે.

સરકારશ્રીની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું અને માસ્ક ફરજીયાત પહેરવુ઼ સવારે મંગળા આરતીથી બપોરે ૧ર-૦૦ કલાક સુધી તથા બપોરે ૩.૩૦ થી રાત્રે ૮.૪પ સુધી મંદિર ખુલ્લું રહેશે. લાઇવ દર્શન માટે junagadhMandirLive Darshan  ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(1:00 pm IST)