ગોંડલમાં રાજવી પરિવાર દ્વારા મ્યુઝિયમ સોમવારથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે
પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની કોવિડ 19 ની તમામ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
ગોંડલ રાજવી પરિવાર દ્વારા કોરોનાની મહામારીમા તકેદારીના ભાગરૂપે ઓર્ચાર્ડ પેલેસ, નવલખા દરબાર ગઢ પેલેસ અને રિવરસાઇડ પેલેસ પ્રવાસીઓ માટે સદંતર બંધ કરવામાં આવ્યા હતા, ધીમે ધીમે દેશ ફરી અનલોક તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગોંડલ રાજવી પરિવાર દ્વારા દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આવતા સોમવાર તારીખ 13 થી મ્યુઝિયમ ખુલ્લા મુકવામાં આવનાર છે આ તકે આવનાર પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની કોવિડ 19 ની તમામ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવું યાદીમાં જણાવાયું છે
અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલના રાજવી મહેલો બોલીવુડ હોલીવુડના ડિરેક્ટરો અને કલાકારોના માનીતા છે અહીંના પેલેસમાં હમ દિલ દે ચૂકે સનમ, રેમ્બો રાજકુમાર, પ્રેમ રતન ધન પાયો સહિતના અનેક ફિલ્મોના શૂટિંગ થઇ ચુક્યા છે ઐશ્વર્યા રાય, સલમાન ખાન, આયુષ્યમાન ખુરાના, સોનાક્ષી સિંહા, પ્રભુદેવા, મિથુન ચક્રવર્તી સહિતના કલાકારો રોકાણ કરી ફિલ્મોના શૂટીંગ કરી ચુક્યા છે.